જગન્નાથ મંદિરમાં દિવાળી જેવો માહોલ, રથયાત્રાની ભવ્ય ઉજવણી
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની ભવ્ય ઉજણી થઈ રહી છે. આજે રથયાત્રાને લઇ ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનને વિશેષ સોનાનો શણગાર કરાયો, સોનાના આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કરવામાં આવ્યો. રથયાત્રાની ઉજવણી નિમિત્તે આજે ભંડારામાં ભક્તોને કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ અપાય છે. રથયાત્રામાં ભાગ લેવા દૂરદૂરથી ભકતો અને સંતો આવતા હોય છે.
રથયાત્રામાં ભાગ લેનાર કોઈપણ ભૂખ્યુ ના જાય તેવા ઉદેશ્ય સાથે મંદિર દ્વારા વર્ષો પહેલા આ ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ વર્ષે પણ અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રુટ પર નીકળશે. રથયાત્રામાં 10 ટ્રક, 30 અખાડા અને 18 ભજન મંડળી ભાગ લેશે. લોકોની સુરક્ષા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 45 ડ્રોનથી નજર રાખશે.
0 comments:
Post a Comment